(૮૮૦) રાગ - વાલે મોરલી વગાડી મધરાત માં રે.
અંધારું જતાં અજવાળું થાય છે રે
સદગુરુ ની કૂર્પા જ્યારે થાય છે રે.......અંધારું
પૂર્વ ના પુણ્ય અમારા જાગીયા રે
વાલે જગાડ્યા છે મધરાત માં રે.......અંધારું
અમે ભૂખ્યા તરસ્યા કંઇક જનમ ના રે
પ્યાલો પીધો છે હરિરસ નામનો રે.....અંધારું
અમે સૂતા હતા સૌએ નિરાંત માં રે
સાચા સંતો અમને બહું સમજાવતા રે...અંધારું
ખોટી અંધશ્રદ્ધા માં અમે માનતાં રે
સાચા સંતો આવી ને જગાડતા રે......અંધારું
ખોટું છોડે ત્યારે સાચું સમજાય છે
સમજ્યા વિના અજવાળું ના થાય છે રે..અંધારું
જ્યારે સાચા સંતો સંગ થાય છે રે
ત્યારે ભીતર તાર તૂટી જાય છે રે.....અંધારું
સમજણ રૂપી સુર્યોદય થાય છે રે
આખા ઘટમાં અંધારું નાસી જાય છે રે...અંધારું
પ્રભાશંકર દયા છે ગુરૂ દેવની રે
ઘટ પર ઘટ દર્શન એના થાય છે રે.......અંધારું
..., તા..૧૦.૨.૨૦૨૩.શુક્રવાર..૯.૨૬.p.m....
Негізгі бет અંધારું જતાં અજવાળું થાય છે રે...
Пікірлер