અનગઢ મસાણી માં
સ્થળ: 📍
અમદાવાદ થી આશરે 111 km ના અંતરે અને વડોદરાથી આશરે 15 કિલોમીટરના અંતરે અનગઢ ગામ આવેલું છે. આ ગામ પાસેથી મહીસાગર નદી પસાર થાય છે. મહીસાગર નદીની તટ ઉપર માં મસાણીનું મંદિર આવેલું છે, જ્યાં લોકો દૂર દૂરથી દર્શન કરવા આવે છે. માનતાઓ રાખે છે, અને તેમની શ્રદ્ધાપૂર્વક તેમની મનોકામના માં મસાણી પૂરી કરે છે.
માં મસાણી નું મંદિર નદીની સહેજ અંદર આવેલું છે જે માટે લોકો બોટ દ્વારા દર્શન કરવા જતા હતા પણ સમય જતા થોડું એવું પૂરણ કરીને ચાલવા જેવો રસ્તો તૈયાર કરવામાં આવ્યો છે. જેથી તમે નદીમાં ઢીંચણ સમા પાણીમાં જઈને દર્શન કરી શકો છો. અને જો તમારે બોટિંગ કરવું હોય તો બોટવાળા તમને માત્ર ને માત્ર 20 રૂપિયામાં નદીનો એક ચક્કર ગુમાડે છે.
અનગઢમાં આવેલું મસાણી મા નુ મંદિર એ ઐતિહાસિક મંદિર છે. જે ઘણા વર્ષોથી ઘણી બધી કુદરતી આપત્તિઓ આવા છતાં પણ તેમનું તેમજ ઉભું છે. જ્યારે પણ નદીમાં પૂર આવે છે ત્યારે પણ આ મંદિર તેવી જ રીતે માં મસાણી ની દયાથી ઉભું હોય છે.
આ જગ્યા પર ગુજરાતી ફિલ્મી જગતના ઘણા સિતારાઓ ચમકી ઉઠ્યા છે. તેમના કંઠે ગવાયેલા એકે ગીત તેમને સફળતાની સીડી તરફ લઈ ગયા છે.
મનથી માનેલી બાધા અને રાખેલી શ્રદ્ધાથી ઘણા બધાના અટકેલા કામ થઈ જાય છે. જે લોકોના અણધાર્યા કામ કરી આવે અને અટકેલા કામ પણ કરી દે એ અનગઢની મસાણીમાં.
આવા જ ઐતિહાસિક વિડિયો જોવા માટે, ગુજરાતના દરેક દેવી-દેવતાઓના સ્થાનના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. (veervlogs)
#masanima #angadh #anganwadi
#jaymataji #meldi #veervlogs
Негізгі бет Angadh Masani Ma | અનગઢ મસાણી માં ધામ | ઐતિહાસિક મંદિર અનગઢ મસાણી માં| મહીસાગર નદીમાં મસાણીમા મંદિર
Пікірлер: 10