સ.ગુ. શ્રીગોપાળાનંદસ્વામીએ જીવો દુઃખીયા મટી સુખીયા થાય તે માટે ઘણાં સુગમ માર્ગો આપ્યા છે તે પૈકી અર્ચાવતાર સ્તોત્ર પણ સર્વ દુઃખ મટાડી સુખ કરનાર છે.
સ.ગુ.ગોપાળાનંદસ્વામી વિરચિત આ સ્તોત્રમાં ગાગરમાં સાગર ન્યાયે ભગવાન શ્રીસ્વામિનારાયણે સ્વહસ્તે વડતાલ મંદિરમાં જે દેવો પધરાવ્યા છે તે સર્વે દેવોની સ્તુતિ છે. મુખ્યત્વે એક સ્તોત્રમાં એક જ દેવની સ્તુતિ હોય છે પરંતુ આ સ્તોત્રમાં નિજ મંદિરમાં વિરાજમાન મુખ્ય દેવો સહીત મત્સ્ય , કચ્છ, વરાહ ઇત્યાદિ દેવોની સ્તુતિ પણ આવેરી લેવામાં આવી છે. સર્વે દેવોની સ્તુતિ કરવામાં કેટલો બહોળો, પહોળો સમય વ્યતીત થાય અને તેથી જ મનુષ્યો ટૂંક સમયમાં જ તે કાર્યથી વિરામ પામી જાય છે. આમ વિચારી અત્યંત દયાળુ સ.ગુ.ગોપાળાનંદસ્વામીએ આ એક સ્તોત્રમાં જ વડતાલ મંદિરમાં સ્થિત તમામ દેવોની સ્તુતિનો સમાવેશ કર્યો છે.
ભગવાન શ્રીસ્વામિનારાયણે સ્વહસ્તે પધરાવેલા દેવો હોય અને સ.ગુ.ગોપાળાનંદસ્વામીએ તે દેવોની સ્તુતિ લખી તેમાં અભૂતપૂર્વ સામર્થ્ય મુક્યું હોય તો એ સ્તોત્રનો પાઠ કરવાથી કયું દુઃખ ના મટે ?
પૂનમને દિવસે વડતાલમાં આવીને કે ઘરમાં રહીને પણ જે આ સ્તોત્રનો પાઠ કરે છે તેના મનોરથો પૂર્ણ થાય છે. ગોપાળાનંદ સ્વામીના આશીર્વાદથી ઋણ, રોગ, દરિદ્રતા વગેરે સર્વે દુઃખ આ સ્તોત્રનો પાઠ કરવાથી કે સાંભળવાથી નાશ પામે છે અને સુખ થાય છે.
PDF IN GUJRATI
drive.google.com/open?id=1bXo...
PDF IN SANSKRIT OR HINDI
drive.google.com/open?id=1uTY...
Негізгі бет ARCHAVTAR STOTRAM || DR.HARSHAD SATASIYA 'SAHAJ' ||
Пікірлер: 617