ગીતા ગોવિંદ સમજાવે અર્જુન સાંભળો રે
આખું જીવન છે દુઃખનું મંડાણ ગીતા ગોવિંદ સમજાવે અર્જુન સાંભળો રે
તારા ધર્મ અને કર્મ મને દઈ દેજે રે
ચિંતા છોડી બની જા હળવો ફૂલ ગીતા...
કાયમ કજીયા ચાલે છે કામ ક્રોધના રે
એમાં હટાવે છે મમતા ને મોહ ગીતા..
તારો સઘળું કુટુંબ તારું સાસરુ રે
તારા વાલા ને વેરી નો બનાવ..
કુરુક્ષેત્રમાં જ્ઞાન પ્રભુએ આપ્યા રે
રમતા આવડે તો રમો રૂડી રાત...
અહીંયા નથી મરતું ને કોઈ જીવતું રે
સૌના ખોળિયા તે શ્રાપ બની જાય..
દુષ્ટ પાપી દુર્યોધન એમ બોલ્યા રે
એમાં શકુંની ની સમજણ હોય..
આત્મા સ્વરૂપ એનો અવાજ છે રે
આત્મા અમર એનું રૂપ છે રે
અજ્ઞાન સ્વરૂપ એનો છે અવાજ...
મારા શરણે આવીને મોજુ માણી લેજો રે
ગીતા સાંભળીને લઈ લેજો વૈરાગ....
અહીં સુખ દુઃખ જોવા અતિ દોયલા રે
પછી હાથમાંથી પડી જાય હથિયાર..
એવી જેલુ છોડીને થઈ જા તાત ને રે
કૃષ્ણ બન્યા છે દ્વારિકાના ધિશ...
એવી સંકટ સમયની ઘડીયું બન્યા રે
એમાં મળ્યા છે ત્રણ ભવન ના નાથ...
ગોકુળ મથુરા વૃંદાવનમાં બિરાજતા રે
સાતમા પાતાળે કૂદકો વાલો મારતા રે
કાળી નાગ ને નાથીને આવ્યા ઘેર...
અર્જુન બેઉ કરજોડી વિનવે રે
વાલો સમજાવે છે ગીતાજી નો સાર..
મહેતા નરસિંહના સ્વામી તમે શામળા રે
વાલો સમજાવે છે ગીતાજીનો સા ર...
Негізгі бет ગીતા ગોવિંદ સમજાવે અર્જુન સાંભળો રે....(. કિર્તન નીચે લખેલું છે...... )
Пікірлер: 22