વૃંદાવનમાં લક્ષ્મીજીનું વિહાર ના શાસ્ત્ર પ્રમાણો
________________________
(૧)तत आरभ्य नन्दस्य व्रजः सर्वसमृद्धिमान् । हरेर्निवासात्मगुणै रमाक्रीडमभून्नृप! ।।१८।।
ભગવાનના જન્મથી આરંભીને નંદજીનો વ્રજ સર્વે સમૃદ્ધિઓથી યુક્ત થયો હતો અને એ વ્રજ ભગવાનના નિવાસથી થયેલા સર્વને પ્રિય લાગવું, એ આદિક અસાધારણ ગુણોથી લક્ષ્મીજીને ક્રિડા કરવાના સ્થળરૂપ થયો હતો.૧૮(શ્રીમદ ભાગવત પુરાણ દશમ સ્કંધ અધ્યાય ૫ શ્લોક ૧૮)
(૨)गोप्य ऊचुः
जयति ते।धिकं जन्मना व्रजः श्रयत इंदिरा शश्वदत्र हि । दयित दृश्यतां दिक्षु तावकास्त्वयि धृतासवस्त्वां विचिन्वते ।।१।।
ગોપીઓ ગાય છે- હે પ્યારા ! તમારા જન્મથી વ્રજનો વધારે ઉત્કર્ષ થયો છે, અને તમારે લીધે જ લક્ષ્મીજી નિરંતર વ્રજને શોભા આપે છે. આ પ્રમાણે સઘળું વ્રજ આનંદ પામ્યા કરે છે, તેમાં તમારી દાસી ગોપીઓ જ કે જેઓ તમારે માટે જ પ્રાણ રાખેલાં છે, તેઓ તમને ચારેકોર શોધવામાં દુઃખી થાય છે માટે દર્શન આપો.૧(શ્રીમદ ભાગવત પુરાણ દશમ સ્કંધ અધ્યાય ૩૧ શ્લોક ૧)
(૩)वीक्ष्यालकावृतमुखं तव कुण्डलश्रीगण्डस्थलाधरसुधं हसितावलोकम् । दत्ताभयं च भुजदण्डयुगं विलोक्य वक्षः श्रियैकरमणं च भवाम दास्यः ।।३९।।
કેશથી વીંટાએલું, ગંડસ્થળમાં કુંડળની શોભાવાળું અને અધર ઓષ્ઠમાં સુધાથી ભરેલું તમારૃં મુખારવિંદ જોઇને, અભય આપનારા તમારા બે ભુજદંડને જોઇને, અને લક્ષ્મીજીને એક ક્રીડાના સ્થાનકરૃપ તમારા વક્ષઃસ્થળને જોઇને, અમો તમારી દાસી થવા જ માગીએ છીએ.૩૯(શ્રીમદ ભાગવત પુરાણ દશમ સ્કંધ અધ્યાય ૨૯ શ્લોક ૩૯)
(૪)प्रियसख पुनरागाः प्रेयसा प्रेषितः किं वरय किमनुरुन्धे माननीयो।सि मे।ङ्ग । नयसि कथमिहास्मान् दुस्त्यजद्वन्द्वपार्श्वं सततमुरसि सौम्य श्रीर्वधूः साकमास्ते ।।२०।।
હે પ્યારા મિત્ર ! તું એકવાર અહીંથી જઇને પાછો આવ્યો તે પ્યારાના મોકલવાથી આવ્યો ? તારે શું જોઇએ છે ? માગી લે, કેમકે તું મારે પૂજ્ય છે. જેનો સમાગમ છોડવો કઠણ પડે, એવા ભગવાનની પાસે તું અમને લઇ જવા માગે છે ? હે સૌમ્ય ! લક્ષ્મી વહુ તો સર્વદા તેમની સાથે જ રહે છે, માટે એ કૃષ્ણને અમારૃં શું પ્રયોજન છે ?૨૦(શ્રીમદ ભાગવત પુરાણ દશમ સ્કંધ અધ્યાય ૪૭ શ્લોક ૨૦)
(૫)हित्वान्यान् भजते यं श्रीः पादस्पर्शाशया सकृत् । आत्मदोषापवर्गेण तद्याच्ञा जनमोहिनी ।।४६।।
વારંવાર જેના ચરણસ્પર્શની આશાથી લક્ષ્મી પણ બીજાઓનો ત્યાગ અને પોતાનો ચંચળપણાદિક દોષ છોડી દઇને જેને ભજે છે, તે ભગવાન બીજાની પાસે માંગણી કરે તે તો કેવળ લોકોને મોહ ઉત્પન્ન કરનાર છે.૪૬(શ્રીમદ ભાગવત પુરાણ દશમ સ્કંધ અધ્યાય ૨૩ શ્લોક ૪૬)
(૬)सकृदधरसुधां स्वां मोहिनीं पाययित्वा सुमनस इव सद्यस्तत्यजे।स्मान् भवादृक् । परिचरति कथं तत्पादपद्मं तु पद्मा ह्यपि बत हृतचेता उत्तमश्लोकजल्पैः ।।१३।।
તારા જેવા સ્વાર્થી ભગવાને અમોને પોતાનું મોહક અધરામૃત એકવાર પાઇને પછી ફુલની પેઠે તરત છોડી દીધી છે. અરે ! લક્ષ્મીજી, એવા સ્વાર્થી ભગવાનના ચરણારવિંદને કેમ સેવે છે ? હું ધારૃં છું કે ભગવાનની ખોટી વાતોથી લક્ષ્મીજીનું ચિત્ત હરાઇ ગયું હશે તેથી તે સેવે છે, પણ અમોને એવી ભોળી સમજવી નહીં.૧૩(શ્રીમદ ભાગવત પુરાણ દશમ સ્કંધ અધ્યાય ૪૭ શ્લોક ૧૩)
Негізгі бет Ойын-сауық શિક્ષાપત્રી શ્લોક-૧"વૃંદાવનમાં લક્ષ્મીજીની ઉપસ્થિતિ"માં શંકા કરનારને પડકાર
Пікірлер