મહાત્મા ગાંધીએ જેમને `રાષ્ટ્રીય શાયર’ના ગૌરવપૂર્ણ બિરુદથી નવાજેલા તેવા સમર્થ સાહિત્યકાર, લોકસાહિત્યના સંશોધક, સ્વાતંત્ર્ય-સેનાની અને સંનિષ્ઠ પત્રકાર ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મજયંતી વર્ષની ગુજરાત સરકાર દ્વારા રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી થશે.
---
રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના જીવન અને કાર્ય સાથે સંકળાયેલાં વિવિધ ઐતિહાસિક સ્મૃતિ-સ્થળોને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવશે તેવી જોગવાઈ અને જાહેરાત ગુજરાત સરકારના વર્ષ 2021-22ના અંદાજ-પત્ર (બજેટ)માં કરવામાં આવી છે.
---
ગુજરાતના માનનીય નાયબ મુખ્ય મંત્રી અને નાણા મંત્રી શ્રી નીતિનભાઈ પટેલના અંદાજ-પત્ર પ્રવચનના અંશ :
• Jhaverchand Meghani Ci...
---
ભારતના માનનીય પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી, ગુજરાતના માનનીય મુખ્ય મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, ગુજરાતના માનનીય નાયબ મુખ્ય મંત્રી - નાણા મંત્રી શ્રી નીતિનભાઈ પટેલ તેમજ `રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મજયંતીની ઉજવણી માટે રાજ્યકક્ષાની સમિતિ’ના અધ્યક્ષ : માનનીય શિક્ષણ મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, ઉપાધ્યક્ષ : માનનીય રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના રાજ્ય મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ અને મહિલા, બાળ કલ્યાણના માનનીય રાજ્ય મંત્રી શ્રીમતી વિભાવરીબેન દવે, માનનીય પ્રવાસન મંત્રી શ્રી જવાહરભાઈ ચાવડા તથા પદાધિકારીઓ-અધિકારીઓનોનો હ્રદયથી આભાર.
---
- પિનાકી નાનકભાઈ મેઘાણી
રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પૌત્ર
સ્થાપક-મેનેજિંગ ટ્રસ્ટી : ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન
અમદાવાદ-ચોટીલા
મો.: 9825021279
Негізгі бет Jhaverchand Meghani Circuit : Budget Speech by Dy. CM Shri Nitinbhai Patel
Пікірлер: 1