#kathopanishad #upnishad #baps #satsangdiksha #katha #pravachan #pramukhswamimaharaj #psm100 #balmandal
Direction - Yogiraj Soni
Music -Yogiraj Soni
Voice over -Yogiraj Soni
Graphics & designs - Yogiraj Art Academy
Video Editor - Yogiraj Soni
Produced by - Yogiraj Art Studio
Music Label - Yogiraj Art Studio
© 2023 Yogiraj Art Studio
॥ કઠોપનિષદ ॥
'Life after death' મૃત્યુ પછીના જીવનનો વિચાર કર્યો છે? જે એ વિચારશે તે જીવનને વિચારી શકશે. અહીં એ વાત સાકાર થઈ છે. એક અલ્પ વયસ્ક બાળકને એ વિચાર ઝબક્યો છે ને તલસાટ જાગ્યો છે એ મર્મને પામવાનો. પછી તો એ બાળ, મૃત્યુના જ દ્વારે પહોંચ્યો. મૃત્યુ પછીના રહસ્યને ઉઘાડવા મથ્યો રહ્યો. નવાઈ તો એ વાતની છે કે મૃત્યુ સ્વયંને અહીં મૃત્યુ પછીના જીવનનો ઉઘાડ આપવાની ફરજ પડી છે. છેવટે એ રહસ્ય ઊઘડ્યું ત્યારે જ શમ્યો એ બાળબટુનો તલસાટ! કેટલું રસપ્રદ છે આ ઉપનિષદનું કથાનક. જે જે વાંચે છે તે વિચારવા લાગે છે. ખરેખર! જીવતાં મુક્તિનાં એંધાણ એટલે કઠ ઉપનિષદ.
પરિચય
કૃષ્ણ યજુર્વેદની 'કઠ' એ નામની શાખા છે. તે શાખા અંતર્ગત આ ઉપનિષદ છે તેથી આ ઉપનિષદ્ને કઠ ઉપનિષદ કહેવામાં આવે છે. આ કઠ ઉપનિષદ બે અધ્યાયમાં વહેંચાયેલું છે. તેના પ્રત્યેક અધ્યાયમાં ત્રણ ત્રણ પેટા પ્રકરણો આવેલાં છે, જેને 'વલ્લી' કહેવામાં આવે છે. આમ છ 'વલ્લી'માં સમાયેલા આ ઉપનિષદ્માં ૠષિકુમાર નચિકેતાના કથાનક દ્વારા બ્રહ્મવિદ્યાનો વિશદ ઉપદેશ કરવામાં આવ્યો છે. આવો એ ઉપાખ્યાનને માણીએ -
કથાનક
વાજશ્રવસ નામના ૠષિએ 'વિશ્વજિત' એ નામનો યજ્ઞ કર્યો. આ યજ્ઞના અંતે 'સર્વવેદસ્' અર્થાત્ સર્વસ્વ દાન આપવામાં આવે છે. તે પ્રમાણે વાજશ્રવસે પણ બ્રાહ્મણોને દાન આપવાનું શરૂ કર્યું. ગાયોની દક્ષિણા અપાઈ રહી હતી. સારી ગાયોની સાથે નબળી ગાયોની પણ દક્ષિણા અપાતી હતી. વાજશ્રવસના પુત્ર નચિકેતાની નજરમાં આ આવ્યું. ઉમરે બાળક હોવા છતાં તેની સમજણ, જ્ઞાન અને શ્રદ્ધા વગેરે પરિપક્વ હતાં. તેને થયું યજ્ઞ થયા પછી ગૌદાન અવશ્ય થવું જોઈએ, એ ન કરે તોપણ ખોટું છે પરંતુ નબળી, નકામી, નિરુપયોગી કે પછી પોતાને બોજારૂપ લાગતી હોય તેવી વસ્તુ બીજાને પધરાવી દેવી એ દાન કર્યું ન કહેવાય. આનાથી તો ઊલટાનું દાતાનું અમંગળ થાય! દાન તો ઉત્તમ વસ્તુનું, પ્રિય વસ્તુનું થવું જોઈએ. અને મારા પિતા જે ગાયોનું દાન કરી રહ્યા છે તે તો ‘पीतोदका जग्घतृणा दुग्घदोहा निरिन्द्रियाः। अनन्दा नाम ते लोकास्तान् स गत्व्छति ता ददत्॥’(કઠ ઉપનિષદ - ૧/૧/૩) 'જે જે ગાયો હવે પાણી પીવાના પણ સામર્થ્ય વગરની થઈ ગઈ છે, ઘાસ પણ ખાઈ શકે એમ નથી, જે દૂધ પણ આપી શકે તેમ નથી કહેતાં વસૂકી ગઈ છે. અને વળી જેમની ઇંદ્રિયોની શક્તિ પણ સાવ શિથિલ થઈ ગઈ છે, કહેતાં ઘરડી થઈ ગઈ છે એવી ગાયોનું દાન કરનારો દાતા તો 'અનન્દ' કહેતાં આનંદ રહિત એવા લોકને જ પ્રાપ્ત કરશે!' તો પછી મારા પિતા પણ આવું કનિષ્ઠ દાન કરીને એવા દુઃખમય લોકને જ પામશે!' આવી ભાવનાથી પિતૃભક્ત નચિકેતાને ઘણી વેદના થઈ. અને પિતાના અનિષ્ટનું નિવારણ કરવા તેણે પિતાને પૂછ્યું, ‘कस्मै मां दास्यसीति’(કઠ ઉપનિષદ - ૧/૧/૪) 'હે પિતાજી! હું પણ આપનું ધન છુ _, તો મને આપ કોને આપશો?' પિતાએ કોઈ ઉત્તર ન આપ્યો. નચિકેતાએ ફરી પૂછ્યું, 'પિતાજી! મને આપ કોને આપશો?' પિતાએ આ વખતે પણ ધ્યાન ન દીધું. નચિકેતાએ ફરી પૂછ્યું ત્યારે પિતા ખિજાઈ ગયા અને ક્રોધાવેશમાં કહે, ‘मृत्यवे त्वा ददामीति’ 'મૃત્યુને તને દઉં છુ _.'(કઠ ઉપનિષદ - ૧/૧/૪) લોકમાં જેમ કોઈ ખિજાઈને કહે, 'જા મરને!' એવું આ વાક્ય હતું. ભાવાર્થ એટલો જ હતો કે તું અત્યારે આઘો જા, મને નડીશ નહીં, પરંતુ નચિકેતા તો આદર્શ પિતૃભક્ત હતો. તેણે વિચાર્યું, ભલે પિતાએ ક્રોધના આવેશમાં આવું કહી દીધું, પરંતુ પિતાજીનું વચન અસત્ય ન થવું જોઈએ. આમ વિચારી એણે મૃત્યુ કહેતાં યમરાજને ત્યાં જવાનો નિશ્ચય કરી લીધો. પિતા વાજશ્રવસે આ જાણ્યું અને તેને વાળવા પ્રયત્ન કર્યો. નચિકેતાને થયું પિતા મૃત્યુથી ગભરાઈને મને રોકે છે. તેણે એક સનાતન સત્ય કહીને પિતાને અવાક્ કરી દીધા. તેણે કહ્યું, ‘अनुपश्य यथा पूर्वे प्रतिपश्य तथाऽपरे। सस्यमिव मर्त्यः पत्व्यते सस्यमिवाजायते पुनः॥’(કઠ ઉપનિષદ - ૧/૧/૬) 'હે પિતાજી! આપણી પૂર્વે જે હતા તે પણ મૃત્યુ પામ્યા છે. અને બીજા જે અત્યારે છે અને ભવિષ્યમાં થશે તે પણ મૃત્યુ તો પામવાના જ છે. કારણ કે મરણશીલ આ આપણે બધા તો અનાજના છોડની જેમ ઊગીએ છીએ અને નાશ પામીએ છીએ. માટે આપ ચિંતા ન કરો. મરણધર્મનો વિચાર કરો અને આપે જેમ કહ્યું તેમ મને કરવા દો.' પિતાએ અનુમતિ આપી. નચિકેતાએ યમસદન ભણી પ્રયાણ કર્યું.
અનોખા અતિથિને ત્રણ વરદાન
નચિકેતા યમસદન પહોંચ્યો અને ખબર પડી કે યમરાજ તો બહાર ગયા છે. ત્રણ રાત સુધી અન્નજળ લીધા વગર જ નચિકેતાએ યમરાજની પ્રતીક્ષા કરી. ત્રીજી રાત પછીના દિવસે યમરાજ પધાર્યા. તેમના વૃદ્ધ અનુચરોએ આ અનોખા અતિથિની જાણ કરી અને આતિથ્ય ધર્મ બજાવવા કહ્યું. (વધુ આવતા અંકે)
#nityagan
#nityashravan
#satsang
#satsangdiksha
#satsangdikshagranth
#BAPS
#pramukhswamimaharaj
#psmforever
#newstutishlokas
#newartiastak
#chalisa
#achyutamkeshvam
#shatabdimahotsav
#nityagan
#aarti
#arti
#mahantswamimaharaj
#aksharpurushottam
#akshar
#trending
#swaminarayan
#bapsnewkirtan
#bapsnewstuti
#bapsbhajan
#baps_atmatruptswami
#bapsvideo
#bapsstatus
#baps100
#baps_akshar_deri_gondal
#bapsindiasatsang
#pramukhswami
#pramukhswamimaharaj
#pramukhswamimaharajshatabdimahotsav
#pramukhswamijanmajayanti
#pramukhswamishatabdimahotsav
#pramukhswamimaharajstatus
#mahantswami
#mahantraj
#mahantswamipujadarshan
#mahantswamimaharaj
#bapsbalmandal
#bapsbalpravrutti
#baps
#baps100
#mukhpath
#leval1
#prathrthna
#pratigna
#summervacation
#childrenactivities
#kidsactivities
#bpco
#trending
Негізгі бет કઠોપનિષદ કથામૃત - ભાગ ૧ ॥ Pu. Adarsh Jivan swami॥ BAPS Katha ॥ BAPS Pravachan॥ Kath Upnishad ॥
No video
Пікірлер: 4