અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય રાજીવ ગાંધી ભવન ખાતેની પથ્થરમારાની ઘટનાથી લોકો અજાણ નથી. રાહુલ ગાંધીનું સંસદમાં ભગવાન શિવ વિશે બોલવું અને ગુજરાત કોંગ્રેસ કાર્યાલય પર પથ્થરમારો શરૂ થવો. આ સમગ્ર પ્રકરણમાં એક ચહેરો ખૂબ જ વાયરલ થયો હતો. નામ છે પ્રગતી આહીર... પરંતુ આ પ્રગતી આહીર ક્યાં છે તે કોઈ જાણતું નથી. છેલ્લા લાંબા સમયથી ફરાર પ્રગતિ આહીરને લઈ હવે મોટા સમાચાર આવ્યા છે. પ્રગતિ આહીરે સૅશન્સ કોર્ટમાંથી આગોતરા જામીન નહી મળતાં હવે તેમણે ગુજરાત હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા છે. પ્રગતિ આહિરે આ કેસમાં પોતાની સંભવિત ધરપકડ ટાળવા હાઇ કોર્ટ સમક્ષ આગોતરા જામીન અરજી ફાઇલ કરી છે. એકાદ-બે દિવસમાં પ્રગતિ આહિરની આગોતરા જામીન અરજીની સુનાવણી જસ્ટિસ એમ.આર.મેંગડેની કોર્ટમાં નીકળે તેવી શકયતા છે. આ કેસમાં અગાઉ કોગ્રેસના પાંચ કાર્યકરોની પણ ધરપકડ કરાઈ હતી, તેઓને પણ સેશન્સ કોર્ટમાંથી જામીન નહી મળતાં હાઈકોર્ટે તેઓને શરતી જામીન આપ્યા હતા. જેના પગલે પ્રગતિ આહિર પણ હાઇકોર્ટના શરણે ગયા છે.
#gujaratcongress #pragatiahir #shaktisinhgohil #gujaratpolitics #gujarattak
--------------------------------------------------------
તમારા ગામમાં ક્યાં કેવો વરસાદ? લાઈવ અપડેટસ જાણવા માટે ક્લિક કરો નિચે આપેલી લિંક પર.
www.gujarattak...
------------------------------------------------------------------
About the Channel:
The land of the Mahatma. The land of India's Iron Man Sardar Patel. The land of India's fifteenth Prime Minister Narendra Modi. The land which teaches the art of business. The land that finds the perfect business for its art. Gujarat is the pulse of India. And Gujarat Tak is a perfect platform to celebrate the essence of Gujarat.
Follow us on:
Website: m.gujarattak.in/
Watsapp: Watsapp: surl.li/pkeoj
Facebook : / gujarattakofficial
Twitter : / gujarattak
Instagram: www.instagram....
LinkedIn: / gujarat-tak
Негізгі бет Pragati Aahir ને કોનો આશરો ? HC તરફથી શું મળશે રાહત?
Пікірлер