પ્યાલો મેં તો પીધો રે ગુરુજીના નામનો,
નસો મેં તો દીધો રે ગુરુજીના નામનો,
કોઈ મને આમ કહે,
કોઈ મને તેમ કહે,
માર્ગ છે આ સીધો રે ગુરુજીના નામનો,
હૈયા ને હરાવી દીધો,
મનને મનાવી લીધું
વચનને બંધાઈ ગયો,
પ્રેમમાં ફસાઈ ગયો,
પરવાનો તો લીધો રે ગુરુજીના નામનો,
પ્યાલો મેં તો પીધો રે ગુરુજીના નામનો,
નસો મેં તો લીધો રે ગુરુજીના નામનો,
નથી મને ધન વાલું,
નથી મને મન વાલું,
મોઢે માગી લીધો રે ગુરુજીના નામનો,
ભલે મને લોકો કહે,
ભલે મને નાત કહે,
નિયમ લઈ લીધો રે ગુરુજીના નામનો,
પ્યાલો મેં તો પીધો રે ગુરુજીના નામનો,
નસો મેં તો લીધો રે ગુરુજીના નામનો,
જોનારાઓ જોયા કરે,
પીનારા ઓ પીધા કરે,
લાભ મેં તો લીધો રે ગુરુજીના નામનો,
પ્યાલો મેં તો પીધો રે ગુરુજીના નામનો,
નસો મેં તો લીધો રે ગુરુજીના નામનો,
નવરા લોકો નિંદા કરે,
મૂર્ખા તો મશ્કરી કરે,
માર્ગ સે આ સીધો રે ગુરુજીના નામનો,
પ્યાલો મેં તો પીધો રે ગુરુજીના નામનો,
નસો મેં તો લીધા રે ગુરુજીના નામ નો,
તુલસીદાસ કહે તરી જશે,
દુનિયા થી ન ડરી જજો, ચિંતા મેં તો છોડી દીધી,
માયા મે તો મેલી દીધી,
ઘૂટડો ભરીને પીધો રે ગુરુજીના નામનો,
ઘુટડે ઘુટડે પીધો રે ગુરુજીના નામનો,
પ્યાલો મેં તો પીધો રે ગુરુજીના નામનો,
નસો મેં તો લીધો રે ગુરુજીના નામનો,
Негізгі бет પ્યાલો મેં તો પીધો રે ગુરુજીના નામનો...ll કીર્તન નીચે લખેલ છે ll જયશ્રીબેન બાળધા
Пікірлер: 4