#Rajkot #Rajkotfire #Rajkotfireupdate
રાજકોટમાં નાના મવા રોડ પર સ્થિત ટીઆરપી ગેમ ઝોનમાં શનિવારે ભીષણ આગ લાગી હતી. રાજકોટના પોલીસ કમિશનરે અત્યાર સુધીમાં 27 લોકોનાં મૃત્યુની પુષ્ટિ કરી છે. આ મૃતકોમાં બાળકોની સંખ્યા વધુ હોવાનું બીબીસીના સહયોગી બિપીન ટંકારિયાએ જણાવ્યું છે.
રાજ્યના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સમાચાર સંસ્થા એએનઆઈને જણાવ્યું છે કે આખી ઘટનામાં હજુ એક વ્યક્તિ ગુમ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે "અમારી જવાબદારી છે કે અમે તેમને શોધીએ."
બિપીન ટંકારિયાએ જણાવ્યું છે, "રાજકોટ સિવિલ હૉસ્પિટલ ખાતેના પોસ્ટમૉર્ટમ રૂમમાં લાવવામાં આવ્યા છે. ડીએનએ ટેસ્ટ થકી મૃતદેહોની ઓળખ થઈ શકે એ માટે સેમ્પલ લેવામાં આવી રહ્યાં છે. આ સાથે પીએમ માટે જરૂરી પંચનામાની કામગીરી માટે 10થી વધુ પોલીસકર્મીઓની ટીમ ખડે પગે છે. "
આ અગાઉ આગની ઘટના સામે આવતા જ ફાયર-બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
ટંકારિયાએ આપેલી વિગતો અનુસાર પાંચ કિલોમીટર દૂરથી પણ ધુમાડો જોઈ શકાય એટલી વિકરાળ આગ હતી. તેમણે જણાવ્યું હતું કે ટીઆરપી ગેમ ઝોનમાં બહાર જવાનો રસ્તો ન હોવાને કારણે ઘણા લોકો અંદર ફસાયા હતા.
વીડિયો : બિપિન ટંકારિયા અને સુમિત વૈદ
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : www.bbc.com/gu...
Facebook : bit.ly/2nRrazj
Instagram : bit.ly/2oE5W7S
Twitter : bit.ly/2oLSi2r
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati
Негізгі бет Rajkot Fire : રાજકોટમાં ભયાનક આગ લાગી ત્યારે આ છોકરો અંદર હતો, અંદર શું થયું તે આ છોકરાએ જણાવ્યું
Пікірлер: 59