વડોદરા ના પાંચ ધારાસભ્યો અને 79 કોર્પોરેટરો જેમને જન પ્રતિનિધિ કહીએ છીએ આ જન પ્રતિનિધિઓ ના જ હાથ નીચે આ કોન્ટ્રાકટ અપાતા હોય ત્યારે આ કોન્ટ્રાક્ટરો સાથે કેવા કરાર થાય અને એ કરાર પછી પ્રેક્ટિકલ કામ કેવા થાય એ વડોદરાના નગરજનોને આ ગોઝારી દુર્ઘટના એ બતાવ્યું છે.
કોન્ટ્રાક્ટરો ના નામે આવા અસંખ્ય સ્થાનો પર ગોઠવાઈ ગયેલા જન પ્રતિનધીઓના મળતીયા, જેમના કૃત્યો પુરાણોમાં વર્ણવેલા રાક્ષસો થી ઓછા કેવી રીતે કહી શકાય?
કૃષ્ણ ચરિત્રમાં વાંચ્યા મુજબ રાજા કંસ શુભ કાર્ય જેવા નિર્દોષ કૃષ્ણને મારવા જુદા જુદા રાક્ષસો મોકલે અને એ રાક્ષસ પોતાના રાજાનું નામ આવે ના એ રીતે કૃષ્ણ ને મોતને ઘાટ ઉતારવા પ્રયત્ન કરે પણ અંતે રાક્ષસ નું મોત થાય. કલ્પના કરો કે લોકશાહીમાં જન પ્રતિનિધિઓ જે તે ક્ષેત્રના રાજા ઓ જ છે તો હવે દર્શકો એ નક્કી કરવાનું કે આ આખી ઘટના કેવી છે.
આ ઘટના ની સંપૂર્ણ જવાબદારી વડોદરાના શાસકોની છે એમણે નૈતિકતા બતાવવાની જરૂર છે. આ અને આવા અનેક કામો કોન્ટ્રાક્ટરોના ભરોસે છોડી મુકવામાં આવ્યા છે મહત્તમ કોન્ટ્રેકટ્રરો સ્થાનિક હોતા નથી તેઓ નર્યા સ્વાર્થ સાથે કામ કરી રહ્યા છે. એમને ઓળખવાનો સમય આવી ગયો છે.
આ ઘટના ની ના માત્ર નિંદા થવી જોઈએ પણ ઘટનામાં સંડોવાયેલા તમામ વિરુદ્ધ માનવવધ નો ગુનો લાગવો જોઈએ અને જવાબદારો ને સખત માં સખત સજા થવી જોઈએ
Негізгі бет વડોદરાની ક્ષિતિજે આથમ્યો કાળો સુરજ.વડોદરા એ ગુમાવ્યા વહાલસોયા નિર્દોષ બાળકો.
Пікірлер: 1