Umiyadham Sidsar
|| સમસ્ત કડવા પાટીદાર સમાજનાં કુળદેવી શ્રી ઉમિયા માતાજીને શતશઃ નમન હો. ||સૌરાષ્ટ્રમાં જામનગર જીલ્લાના જામજોધપુર તાલુકાના સિદસર (સિદ્ધ સ્થળ) મુકામે શ્રી જગતજનની જગદંબા સ્વરૂપ શ્રી ઉમિયા માતાજી બિરાજે છે.
એક વખત રત્નાબાપાને સ્વપનમાં શ્રી ઉમિયા માતાજીએ દર્શન દીધા. માં કહ્યું કે, હું સિદસર ગામે વેણુ નદીના તીરે કેરાળાના ટીંબાથી પ્રસિદ્ધ છે, એ સ્થાને ભૂમિગત છું. કંકુનું મંગલ ચિહ્ન હોય ત્યાં જમીનનું ખોદકામ કરાવજે. મારું મૂર્તિ સ્વરૂપ પ્રગટ થશે. સવાર થતાં રત્નાબાપાએ ગામજનોને સ્વપ્નની વાત કરી. સૌ કોઈ ભગતબાપા કહે તેમ કરવા તૈયાર થયા. સિદસર (સિદ્ધ સ્થળ) આવી ભૂમિમાં ખોદકામ કરતા આરસની શિલા નીચેથી માના અદભૂત અને દિવ્ય સ્વરૂપનું પ્રાગટ્ય થયું.આ મંગલ દિવસ તો, સવંત ૧૯૫૪ ભાદ્રપદ પૂર્ણિમાં તા. ૧૯-૯-૧૮૯૯ મંગળવાર.
ઉમિયાધામ સિદસર ખાતે પવિત્ર વેણુ નદી બે કાંઠે વહી રહી છે. નયન રમ્ય સુંદર આલેચ પર્વતમાળાની ગોદમાં માં ઉમિયાનું દિવ્ય-ભવ્ય મંદિર શોભાયમાન થઈ રહ્યું છે.
બોલો… શ્રી ઉમિયા માત કી… જય…
- 7:11
- 2 жыл бұрын
Пікірлер