સારી તંદુરસ્તી સાથે લોકો ગુણવત્તાયુક્ત જીવન જીવે તે માટે શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી દર ગુરુવારે વિચારોનું વાવેતર કરવામાં આવે છે. તા. ૧૧/૦૭/૨૦૨૪ ગુરુવારે વરાછા બેંકના ઓડીટોરીયમ ખાતે યોજાયેલ ૬૯માં થર્સ-ડે થોર્ટ કાર્યક્રમમાં શહેરના જાણીતા ગેસ્ટ્રો એન્ટ્રોલોજીસ્ટ ડો. રાજીવ મહેતા ની ઉપસ્થિતિમાં શ્રી કાનજીભાઈ ભાલાળા એ નવો વિચાર આપતા જણાવ્યું હતું કે, શરીર જ જીવન જીવવા માટે મહત્વનું સાધન છે. તેને નીરોગી રાખવું તે પ્રાથમિક ફરજ છે. આપણે વાહન કે મકાનની સતત કાળજી રાખતા હોઈએ છીએ ત્યારે આપણા જીવવનો આધાર શરીરની વધુ કાળજી રાખવાની જરૂર છે. મોટા ભાગના રોગોનું કારણ અયોગ્ય ખોરાક અને ખોટી જીવનશૈલી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ખોરાક સ્વાદ માટે નથી પોષણ માટે છે. અયોગ્ય ખોરાક રોગોનું કારણ બને છે. જયારે પણ કંઈપણ પેટમાં નાખીએ ત્યારે વિચારવું જોઈએ તેનાથી મને શું ફાયદો અને કેટલું નુકશાન થશે. વર્તમાન સમયે હાર્ટએટેક, સ્ટ્રોક, કેન્સર સહીત અનેક રોગોનું પ્રમાણ ચિંતાજનક વધી રહ્યું છે. તેનું મુખ્ય કારણ ભેળસેળયુક્ત ખોરાક છે. રોગોના ભરડામાંથી બચવા માટે સતત જાગૃત રહેવું પડે તેવો સમય છે. ખરેખર આહાર, ઊંઘ, વ્યાયામ અને યોગ એ નીરોગી રહેવા માટેના ચાર પાયા છે. તંદુરસ્ત રહેવા માટે સમતોલ આહાર, પુરતી ઊંઘ, શરીરને કસરત અને નિયમિત યોગ-પ્રાણાયામ કરવા ખુબ જરૂરી છે. માણસે પ્રથમ પોતાના શરીરને સમજવાની જરૂર છે. શરીર વ્યવસ્થાનો આધાર પ્રાણશક્તિ છે અને પ્રાણશકિતનો મુખ્ય આધાર આહાર છે. માટે માણસે સારો, શુદ્ધ અને પોષણયુક્ત ખોરાક લેવો જોઈએ. રાત્રીના ઉજાગરા અને રાત્રીના ભોજન, નાસ્તા કે ભારે ખોરાક બંધ કરવા એ જ નીરોગી રહેવાનો સરળ ઉપાય છે.
#thursdaysthoughts #health #wealth #happiness #kanjibhaibhalala
*******************************************************************
❋ Instagram : / spss_surat
❋ Facebook : / shreesaurashtrapatelse...
❋ LinkdIn : / shree-saurashtra-patel...
❋ Twitter : / official_spss
❋ KZitem : / @spss_surat
❋Website : www.spsamaj.org/
☎ For more info. Ph. +91 99091 88222
Негізгі бет શરીર જીવવા માટે મહત્વનું સાધન છે.તેને નિરોગી રાખવુ તે પ્રાથમિક ફરજ છે - Kanjibhai Bhalala - 69 TT
No video
Пікірлер: 4