સુખી જીવન જીવવા આરોગ્ય અને પૈસા જેટલુ જ મહત્વ ખરી ખુશીનું છે એટલે હેલ્થ, વેલ્થ અને હેપ્પીનેસને કેન્દ્રમાં રાખીને શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી દર ગુરુવારે કામરેજ રોડ સ્થિત “જમનાબા ભવન” ખાતે વિચારોનું વાવેતર કરવામાં આવે છે. તા. ૨૩ મે ગુરુવારે યોજાયેલ ૬૨માં થર્સ-ડે થોટ્સ કાર્યક્રમમાં વિચારક, ચિંતક અને અનેકવિધ સંસ્થાઓ સાથે સંકળાયેલા શ્રી કેશુભાઈ ગોટી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
૩૦૯ સરસ્વતીધામનું નિર્માણકાર્યનો સંકલ્પ કરનાર સમાજના મોભી, માર્ગદર્શક અને વિચારક શ્રી કેશુભાઈ ગોટી એ જણાવ્યું હતું કે, હેલ્થ, વેલ્થ અને હેપ્પીનેસ માંથી વ્યક્તિની હેલ્થ અને હેપ્પીનેસ કોઈપણની મદદ વગર વ્યક્તિ જાતે જ નિ:શુલ્ક અને મુક્તપણે ફક્ત સારા વિચારો દ્વારા મેળવી શકે છે. અને વિચાર જ જીવનની કરોડરજ્જુછે. સ્વભાવને અનુકુળ થઈને જીવીએ તો સુખની સાથે ખુશીઓ પણ આવતી હોય છે. નિતિમત્તા અને સારા સિદ્ધાંતો જ જીવનમાં આદર્શ વ્યક્તિત્વ નિર્માણ કરે છે જેનાથી મળેલી સફળતા જીવનમાં સાચી ખુશી આપે છે. આપણી પાસે ગમે તેટલી આર્થિક સમૃદ્ધિ હોય પણ જીવન જીવવાનો અનેરો આંનદ મેળવવા સુખ-દુઃખમાં હદયથી સમૃદ્ધ અંગત મિત્રો હોવા જોઈએ. જીવનમાં સારા વિચારોની તાકાતથી સત્વગુણ પ્રધાનપણે વર્તે અને તે જ ખરૂ સુખ આપે છે. માણસ જયારે રાષ્ટ્રવાદી બને ત્યારે જ સુખી સંપન્ન સમાજ રાષ્ટ્રનું નિર્માણ થાય છે. જેના માટે ગુણવત્તાયુક્ત શિક્ષણ જ વ્યક્તિને રાષ્ટ્રવાદી અને સારો માણસ બનાવે છે. સમાજે કેશુભાઈ તથા તેમના ધર્મપત્ની શ્રીમતિ અંજુબેનનું અભિવાદન કર્યું હતું.
#thursdaysthoughts #health #wealth #happiness #kanjibhaibhalala
*******************************************************************
❋ Instagram : / spss_surat
❋ Facebook : / shreesaurashtrapatelse...
❋ LinkdIn : / shree-saurashtra-patel...
❋ Twitter : / official_spss
❋ KZitem : / @spss_surat
❋Website : www.spsamaj.org/
☎ For more info. Ph. +91 99091 88222
Негізгі бет ગુણવત્તાયુક્ત શિક્ષણ જ વ્યક્તિને રાષ્ટ્રવાદી અને સારો માણસ બનાવે છે-Keshubhai Goti વિચારોનું વાવેતર
No video
Пікірлер: 2