ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગરના મહામાત્ર ડો. જયેન્દ્રસિહ જાદવે જણાવ્યું હતું કે, પ્રાર્થના એ આત્માનો ખોરાક છે, સાથે એમ પણ કહી શકાય કે વાંચન એ મનનું જમણવાર છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, વિચારોનું વાવેતર કાર્યક્રમ માણસ ઉગાડવાનું કાર્ય કરે છે. તે બદલ શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરતને અભિનંદન પાઠવ્યા હતા. ખરેખર જીવતા લોકો કરતા જીવંત લોકોની સંખ્યા વઘારવા પુસ્તકાલયો શરૂ કરવાની જરૂર છે. કારણકે, જે વાંચે એ વ્યક્તિ જ સારૂ વિચારી શકે છે. વૈચારીક શક્તિ એ માણસને ઈશ્વર તરફથી મળેલી અમુલ્ય ભેટ છે. આજ-કાલ બધુ જ ભાડે મળે છે પરંતુ, વિચાર તો ખુદમાં પ્રગટાવવો પડે છે. વાંચન માંથી વિચાર મળે છે જે માણસને ઘડે છે. માણસના વ્યક્તિત્વને ખીલવવાનું કામ પુસ્તકો કરે છે. એ.આઈ એ યંત્રપ્રજ્ઞા છે. જયારે માણસ પાસે ચૈતન્યપ્રજ્ઞા છે. માણસ નિર્ણય લેવામાં ભાવનાત્મક બુદ્ધિનો ઉપયોગ કરે છે. આજે માણસ એકલો થતો જય છે ત્યારે, પુસ્તક જ સાચો મિત્ર બની સાથ આપી શકે છે. તેમણે વાંચનનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે, જયારે લોકો શોપિંગ મોલ અને સિનેમા ઘરો કરતા પુસ્તકાલયો તરફ જતા થશે ત્યારે બૌદ્ધીક પરિવર્તન સમાજની દિશા ગણાશે. વાંચનથી જ્ઞાનની સાથે જીવનમાં ઉર્જા મળે છે. વર્તમાન સમયની સમસ્યાઓના કારણોમાં પુસ્તક વાંચન ઘટે છે તે પણ એક કારણ છે.
કાર્યક્રમ અંગેનો પ્રતિસાદ આપતા જણાવ્યું કે, જ્યાં વિચારતંત્ર બરાબર ચાલતું હોય ત્યાં જ લોકતંત્ર બરાબર ખીલી શકે. હીરાની સાથે જીવન જીવવાના દ્રષ્ટિકોણને તરાશવાના આ નુતન ઉપક્રમને તેમણે સહદયથી વખાણ્યો હતો.
#thursdaysthoughts #health #wealth #happiness #kanjibhaibhalala
*******************************************************************
❋ Instagram : / spss_surat
❋ Facebook : / shreesaurashtrapatelse...
❋ LinkdIn : / shree-saurashtra-patel...
❋ Twitter : / official_spss
❋ KZitem : / @spss_surat
❋Website : www.spsamaj.org/
☎ For more info. Ph. +91 99091 88222
Негізгі бет Ойын-сауық જે વાંચે..એ વ્યક્તિ જ સારૂ વિચારી શકે છે. DR. JAYENDRA SINGH JADAV - 81 tt l SPSS l Surat
Пікірлер: 4