૮૦માં થર્સ-ડે થોર્ટ કાર્યક્રમના ખાસ અતિથી ડેપ્યુટી કલેકટર શ્રી જી. એમ. બોરડે મનનું વિજ્ઞાન સમજાવતા જણાવ્યું હતું કે, જીવનને સ્વર્ગ કે નર્ક બનાવવાની તાકાત “મન” છે. મનુષ્યના દુઃખનું કારણ મનના વિચારો છે. દરેક વ્યક્તિના જીવનમાં મનનું આગવું સ્થાન છે. એ સ્થાને રહી મન વ્યક્તિનો જીવનમાં સ્વર્ગ જેવી પરિસ્થિતિને નર્કમાં અને નર્ક જેવી પરિસ્થિતિમાં સ્વર્ગમાં પરિવર્તિત કરવાની ક્ષમતા “મન” ની હોય છે. સુખ કે દુઃખનો કોઈ દાતા નથી. બીજાના કારણે હુ દુઃખી થાય છું. એ દુર્બુદ્ધિ છે.
મનને વૈજ્ઞાનિક રીતે સમજાવતા વધુમાં જણાવ્યું હતું કે, સાયકોલોજી અનુસાર મનના ત્રણ સ્તરો છે. (૧) જાગૃત મન, (૨) અર્ધજાગૃત મન અને (3) અજાગૃત કે અચેતન મન. પાણીમાં તરતી હિમશીલતાની જેમ ઉપર દેખાતો ૧૦% હિસ્સો જ પરિચિત હોય અને બાકીનો ૯૦% ભાગ પાણીની અંદર છુપાયેલ અપરિચિત હોય છે એવી રીતે મનનું પણ હિમશીલા સમાન માત્ર ૧૦% જ માણસ એનાથી પરિચિત હોય છે. બીજા હિસ્સાથી લગભગ દરેક વ્યક્તિ અપરિચિત હોય છે. અર્ધજાગૃત અને અજાગૃત મન શરીરની તમામ શારીરિક અને વૈચારિક પ્રક્રિયા જાગૃત મન કરે છે. મનના ત્રણેય સ્તરોમાં સૌથી ઉપરનો ભાગ જાગૃત મન છે જે શરીરના ૧૦% હિસ્સો છે. અને બાકીનો ૯૦% અર્ધહગૃત મનથી બનેલો છે. મનના પાંચ વલણો જૈવિક સંવેદના, માનવીય પ્રેરણા, વિચારો, વેદનાઓ અને યાદો છે.
અર્ધજાગૃત અને અજાગૃત મનને જાગૃત માંથી જેટલું કેળવીએ એટલું જીવન સુખી બને છે. અર્ધજાગૃત મનને વિકસિત કરવાના રસ્તાઓ ગોલ સેટીંગ, વિઝ્યુલાઈઝેશન, પોઝિટીવ, અફર્મેશન, રોલ મોડેલ અને સતત ટકાઉ પ્રયત્નો છે. મનના માધ્યમથી જ માણસ ધારેલુ લક્ષ્ય પ્રાપ્ત કરી શકે છે.
#thursdaysthoughts #health #wealth #happiness #kanjibhaibhalala
*******************************************************************
❋ Instagram : / spss_surat
❋ Facebook : / shreesaurashtrapatelse...
❋ LinkdIn : / shree-saurashtra-patel...
❋ Twitter : / official_spss
❋ KZitem : / @spss_surat
❋Website : www.spsamaj.org/
☎ For more info. Ph. +91 99091 88222
Негізгі бет જીવનમાં સ્વર્ગ અને નર્કનું કારણ માત્ર મન હોય છે - G. M. Borad, Dy. collector વિચારોનું વાવેતર 80 TT
Пікірлер: 3