હીરા લેસર મશીનરીનું ઉત્પાદન કરતી અગ્રણી કંપની ધર્મજ ટેકનોલોજીના ફાઉન્ડર પ્રકાશભાઈ રાખોલીયા તથા ભરતભાઈ કોટડીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ધાર્મિક સંસ્કારો સાથે સમતોલ જીવનનો દ્રષ્ટિકોણ ધરાવતા યુવા ઉદ્યોગ સાહસીક પ્રકાશભાઈ એ સફળતા અને સુખ વચ્ચેનો તફાવત સમજાવતા જણાવ્યું હતું કે, જીવનમાં સારા વિચારોનું બળ વધે ત્યારે તે ખરાબ વિચારોને નબળા પાડે છે. સફળતા અને સુખ માટે સારા વિચારોની જરૂર છે. સફળતા માટે નિતિથી કામ કરવુ એ પ્રથમ શરત છે. સતત નવુ શિખતા રહેવું તે પ્રગતિ માટે ખુબ જરૂરી છે. ધર્મજ ટેકનોલોજીની સફળયાત્રામાં ઇનોવેશન અને ટીમવર્કને મહત્વના ગણાવ્યા હતા. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મનની તાકાત અખૂટ છે. પરંતુ મનને શાંત અને ખોટા વિચારથી દુર રાખવુ જરૂરી છે તે માટે પ્રાર્થના માફી અને કૃતજ્ઞતાભાવ મહત્વના સાધનો છે. #thursdaysthoughts #health #wealth #happiness #kanjibhaibhalala #positivity #successmindset #successquotes #goals
*******************************************************************
❋ Instagram : / spss_surat
❋ Facebook : / shreesaurashtrapatelse...
❋ LinkdIn : / shree-saurashtra-patel...
❋ Twitter : / official_spss
❋ KZitem : / @spss_surat
❋Website : www.spsamaj.org/
☎ For more info. Ph. +91 99091 88222
Негізгі бет તમારો દીવડો, તમે જ પ્રગટાવો - Prakashbhai Rakholiya l 83 tt l SPSS l Surat
Пікірлер