How to increase Income and capital ? - Kanjibhai Bhalala
#investing
તન, મન અને ધન અંગે યોગ્ય સમજણ આપવા શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી હેલ્થ, વેલ્થ અને હેપ્પીનેસને કેન્દ્રમાં રાખી દર ગુરુવારે નવા વિચારોનું વાવેતર કરવામાં આવે છે. તા.: ૧૬મી મે,૨૦૨૪ ગુરુવારે યોજાયેલ ૬૧માં થર્સ-ડે થોર્ટ્ કાર્યક્રમમાં શ્રી કાનજીભાઈ આર. ભાલાળા એ જણાવ્યું હતું કે, માણસ માત્રને પૈસાની જરૂર છે. દરેકને પૈસાદાર થવું છે પણ, ખર્ચ ઘટાડી બચત અને બચતનું રોકાણ કરવાની યોગ્ય સમજણ અને જાગૃતિના અભાવે લોકો મુશ્કેલીઓ અનુભવી રહ્યા છે. માણસ કેટલું કમાય છે? તે અગત્યનું નથી. પરંતુ, કરેલી કમાણી કઈ રીતે વાપરે છે? તે વધુ મહત્વનું છે. ખૂબ સામાન્ય કે ગરીબ માણસ પણ થોડી થોડી બચત કરી તેના રોકાણમાંથી વધુ આવક મેળવી શકે છે. માત્ર કમાણી માણને શ્રીમંત નથી બનાવતી પરંતુ, આર્થિક સંપત્તિનું સર્જન કરવામાં આવે તો તેને તે અઢળક કમાણી કરી આપે છે. નવો વિચાર આપતા શ્રી કાનજીભાઈ આર. ભાલાળા એ જણાવ્યું કે, આર્થિક સંપત્તિનું સર્જન કરવા માટે ગણતરીપૂર્વક નું રોકાણ પ્રથમ શરત છે. થયેલી બચતનું ક્યાં રોકાણ કરવું? તે નિર્ણય મહત્વનો છે. અસંખ્ય વ્યક્તિઓ થોડી બચતને રોકાણ કરવા જતા ગુમાવે છે. એફડી, વીમો, મ્યુચ્યુઅલ ફંડ, સોનુ, રીયલ એસ્ટેટ કે શેરબજારમાં રોકી નફો, વ્યાજ કે ભાડું મેળવી વધુ સંપત્તિનું સર્જન કરી શકે છે જેટલી આવક હોય તેમાંથી નવી મૂડીનું સર્જન કરતા રહેવું તે ડહાપણ નું કામ છે.
#thursdaysthoughts #health #wealth #happiness #kanjibhaibhalala
*******************************************************************
❋ Instagram : / spss_surat
❋ Facebook : / shreesaurashtrapatelse...
❋ LinkdIn : / shree-saurashtra-patel...
❋ Twitter : / official_spss
❋ KZitem : / @spss_surat
❋Website : www.spsamaj.org/
☎ For more info. Ph. +91 99091 88222
Негізгі бет આવકમાંથી નવી મૂડીનું સર્જન કરવું તે ડાહપણનું કામ છે - Kanjibhai Bhalala વિચારોનું વાવેતર 61th-TT
Пікірлер: 14