_______કીતૅન_______
નંદબાબા ઉભા છે ને જશોદામાં પૂછે છે
મથુરાની મૈયારણ કયા ગયો મારો કાનુડા...
મેવાડમાં ગયો છે ને મીરાબાઈને મળ્યો છે
ઉભો ઉભો ઝેર પીવે માતા તારો કાનુડો...
સુદામાજી ઊભા છે ને બલભદ્ર પુછે
ગોકુળ ના ગોવાળિયા ને કયા ગયો મારો બાંધવો...
વીરપુરમાં ગયો છે અને જલારામ ને મળ્યો છે
સંતો ને જમાડે છે વીરા તારો બાંધવો...
સૈયરુ સાથે ઊભા છે રાધાજી પૂછે છે
વનની કોયલડી ને કયા ગયો મારો સાયબો...
વનરાવનમાં ગયો છે ને ગોપીયુ ને મળ્યો છે
રાસ રમાડે છે રાધા તારો સાહેબ...
પાંચે પાંડવ ઉભા છે ને કુંતા માં પૂછે છે
પાદર ની પનિહારી ને ક્યાં ગયો મારો ભત્રીજો...
સખુ ઘેરે ગયો છે ને લાંબી લાજુ કાઢી છે
બેડે પાણી ભરે છે ફઈબા તારો ભત્રીજો...
નરસિંહ મહેતા નો શામળિયો ને મીરા નો ગિરધર ગોપાળ
શબરીબાઈ ના સીતારામ દેજો અમને વ્રજમાં વાસ...
🙏🙏🙏🙏🙏🙏
Негізгі бет મથુરાની મૈયારણ ક્યાં ગયો મારો કાનુડો || gurukrupa kirtan || કીર્તન નીચે લખેલ છે 👇👇👇
Пікірлер: 9